ગિર સિંહનું અભયારણ્ય
સ્થળ : જૂનાગઢ જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી.
વિસ્તાર : 1412 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી
ભૂડં, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા : અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઈડ તથા પુસ્તકાલય
છે. વન્ય પ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઈડ શૉ ગોઠવવામાં આવે છે.
શ્રેષ્ઠ સમય : જાન્યુઆરીથી મે મહિનો.
રેલવે મથક : વેરાવળ-સાસણગીર.
બરડા : સિંહ અભયારણ્ય
સ્થળ : જૂનાગઢ જિલ્લો. પોરબંદરથી લગભગ 14 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર : 192 ચોરસ કિ. મી.
વન્ય સૃષ્ટિ : જંગલી ભૂંડ, દીપડો, ચિત્તલ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલ્વે મથક : રાણાવાવ-પોરબંદર
સામુદ્રિક ઉદ્યાન /અભયારણ્ય
સ્થળ : જામનગર જિલ્લો, કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં.
વિસ્તાર : 163 ચોરસ કિ. મી. માં રાષ્ટ્રીય ઉદ્યાન, 458 ચોરસ કિ. મી.માં અભયારણ્ય.
વન્ય પ્રાણીસૃષ્ટિ : વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા
નામના જળચળ જીવ વસે છે. ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રયસ્થાન. વિવિધ જળપંખી
જોવા મળે છે.
સુવિધા : વનવિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાત્રિંક બોટ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી મે મહિનો
રેલવે મથક : જામનગર.
વેળાવદર : કાળિયાર અભયારણ્ય
સ્થળ : ભાવનગર જિલ્લો. ભાવનગરથી 65 કિ. મી.ના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
વિસ્તાર : 18 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : કાળિયાર, વરુ.
સુવિધા : ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વનવિભાગની એક લોંગ હટ છે. જમવાની પણ સગવડ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી મે મહિનો.
રેલવે મથક : ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
સ્થળ : સુરેન્દ્રનગર/કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગરથી 65 કિ. મી. હળવદ તરફ કચ્છના નાના રણમાં
વિસ્તાર : 4953 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : જંગલી ગઘેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા : ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહો છે.
શ્રેષ્ઠ સમય : ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક : હળવદ
નળસરોવર પક્ષી અભયારણ્ય
સ્થળ : સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ-સુરેન્દ્રનગરના રસ્તે સાણંદ પાસે 35 કિ. મી.
વિસ્તાર : 115 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : યાયાવર જળચર પક્ષીઓ જેવાં કે વિવિધ પ્રકારનાં બગલાંઓ, બતકો, સ્પુનબીલ, બાજ અને સ્થળાંતરી પક્ષીઓની અનેક જાતો.
સુવિધા : પક્ષીનિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ. બાયનોક્યુલર પણ ભાડે મળી શકે છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી ફેબ્રુઆરી.
રેલવે મથક : સાણંદ.
રતનમહાલ : રીંછ અભયારણ્ય
સ્થળ : પંચમહાલ જિલ્લો, લીમખેડા તાલુકો, બારિયાથી 45 કિ. મી.ના અંતરે છે.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, છીંકારાં, નીલગાય, ડુક્કર.
સુવિધા : પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વનખાતાનાં વિશ્રામગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામગૃહ.
શ્રેષ્ઠ સમય : ડિસેમ્બરથી માર્ચ.
રેલવે મથક : બારિયા અને પીપલોદ
જેસોર : રીંછ અભયારણ્ય
સ્થળ : બનાસકાંઠા જિલ્લો, પાલનપુરથી 45 કિ. મી.ના અંતરે છે.
વિસ્તાર : 181 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, પક્ષીઓ.
સુવિધા : અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્ટોર 10 કિ. મી. ના અંતરે
તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિ.
મી. ના અંતરે છે.
ડુખમલ : રીંછ અભયારણ્ય
સ્થળ : ભરૂચ જિલ્લો, ડેડિયાપડાથી 30 કિ. મી.
વિસ્તાર : 151 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : રીંછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા : ડેડિયાપાડાથી 30 કિ. મી.ના અંતરે છે. જાહેર બાંધકામખાતું અને પંચાયતનું વિશ્રામગૃહ છે.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : અંકલેશ્વર.
હિંગોલગઢ : પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
સ્થળ : રાજકોટ જિલ્લો.
જસદણથી 10 કિ. મી. ના અંતરે છે.
વિસ્તાર :7 ચોરસ કિ. મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ : નીલગાય, છીંકારાં, સ્થળાંતરી પક્ષીઓ જેવાં કે હંજ, ફલેમિંગો વગેરે.
સુવિધા : જસદણમાં સરકારી ગેસ્ટ હાઉસ.
શ્રેષ્ઠ સમય : નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક : રાજકોટ-જસદણ.

About Admin MC3
This is dummy text. It is not meant to be read. Accordingly, it is difficult to figure out when to end it. But then, this is dummy text. It is not meant to be read. Period.
Related Post
ગુજરાતની નદીઓ અંબિકા નદી આજી નદી ઊંડ નદી ઓઝત નદી ઓરસંગ નદી ઔરંગા નદી કનકાવતી નદી કર
Hinduism Normal 0 false false false EN-US X-NONE X-NONE
FIRST IN INDIA ● British Governor-General : Warren Hastings ● British Governor-General of Independent India : Lor
ગુજરાતમાં સૌથી મોટું જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
ConversionConversion EmoticonEmoticon